CM રૂપાણીની હાજરીમાં રાજભવન ખાતે સ્નેહમિલન, મીડિયા કર્મીઓને આપી શુભેચ્છા
Live TV
-
રાજભવન ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકારોની સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં મીડિયાના મિત્રો-પત્રકારો માટે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાના મિત્રો, અધિકારીઓ, ભાજપના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારની વિવિધ ક્ષેત્રે કરેલી કામગીરીઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેની માહિતી આપી હતી.
આ ઉપરાંત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનો અને તેનો અમલ કેટલા લાભાર્થીઓએ લીધો છે તે અંગેનું પ્રેઝન્ટેશન મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું.
