CRPFના 20 જવાનોની સાયકલ રેલીને રાજભવન ખાતેથી મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન
Live TV
-
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઊજવણીના ભાગરુપે, સ્વરછતા અભિયાન, જલ બચાવ અભિયાન, ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આજે સીઆરપીએફના 20 જવાનો ની સાઈકલ રેલીને રાજભવન ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યુ હતુ.
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઊજવણીના ભાગરુપે, સ્વરછતા અભિયાન, જલ બચાવ અભિયાન, ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આજે સીઆરપીએફના 20 જવાનો ની સાઈકલ રેલીને રાજભવન ગાંધીનગર ખાતે થી મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યુ હતુ. ગાંધીજીના આ સંદેશાને જનજન સુધી પહોંચાડવા સીઆરપીએફના જવાનો 12 દિવસમાં 12 જગ્યા પર રોકાશે. આ રેલી ગુજરાત, રાજસ્થાન હરિયાણા થઈ 27 જુલાઈએ દિલ્હીના ઈન્ડીયા ગેટ પહોંચશે. 27 જુલાઈએ સીઆરપીએફનો સ્થાપના દિવસ હોવાથી ઈન્ડીયા ગેટ પાસે આ રેલીના સમાપન કાર્યક્રમ યોજાશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
