GSRTC: BS-6 એમીશન નોર્મ્સ ધરાવતી 101 બસોનું મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ
Live TV
-
રાજ્યના લોકોની સુખાકારી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા BS-6 એમીશન નોર્મ્સ ધરાવતી એક હજાર બસ તૈયાર કરવામાં આવી છે. આ એક હજાર બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.
