Gujarat: 18 મે સુધી રાત્રિ કર્ફયૂ અને મર્યાદિત નિયંત્રણો યથાવત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 18 મે સુધી રાજયના 8 મહાનગર તેમજ 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફયૂ તેમજ વધારાના મર્યાદિત નિયંત્રણો યથાવત રહેશે. તેમજ 36 શહેરોમાં નિયંત્રણો દરમિયાન અનાજ કરિયાણા, દૂધ , બેકરી, મેડિકલ સ્ટોરની જેવી આવસ્યક સેવાઓની દુકાનો ચાલુ રહેશે. સાથે જ 36 શહેરોમાં ઔદ્યૌગિક એકમો, કારખાના અને બાંધકામના કાર્યો કોવિડ ગાઇડલાઇન સાથે ચાલુ રાખવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેપારી વર્ગ, તેમજ જનતાએ કોરોના સંક્રમણ અટકાવવા કર્ફયૂ સહિતના નિયમોમાં જે સહયોગ આપ્યો તે અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા પણ જણાવ્યું હતું.
