ગીર સોમનાથ નજીક આવેલ અરબ સાગરમાં શાર્ક જોવા મળતા લોકોમાં કૌતુક
Live TV
-
શાર્ક હજ્જારો કિલોમીટરનો દરિયો ખેડી સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે આવીને વસવાટ કરે છે
આજે વિશ્વ વ્હેલ શાર્ક દિવસ છે.ત્યારે સમગ્ર વિશ્વ માટે વ્હેલ શાર્કની શુ અગત્યતા છે તે આપણે સમજવું જરૂરી બને છે.સમુદ્રનાં પાણીનું ફિલ્ટરેશન કરી કુદરતી સમતુલા જાળવતી વ્હેલ શાર્ક ગુજરાત નાં દરિયા કિનારે હાલ આવી રહી છે. સપ્ટેમ્બર થી ફેબ્રુઆરીની મધ્યમાં વ્હેલ શાર્ક હજ્જારો કિલોમીટરનો દરિયો ખેડી સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે આવીને વસવાટ કરે છે.આ વર્ષ ગ્લોબલ વોર્મિંગ અને વાવાઝોડાની દહેશતને પારખી વ્હેલ શાર્ક માછલી નવેમ્બરના અંત દરમિયાન સૌરાષ્ટ્રનાં સાગર કિનારે આવી પહોંચી છે.જોગાનુજોગ કહો કે કુદરતનો કરિશ્મા આજે વર્લ્ડ વ્હેલ શાર્ક ડે નાં દિવસે ગીર સોમનાથ નાં અરબ સાગરમાં વ્હેલ શાર્ક જોવા મળી છે.આ માછલીને બચાવવા માત્ર પાંચ ધોરણ ભણેલા દીનેશગીરી ગૌસ્વામીએ ઝુંબેશ ઉપાડી હતી.હાલ તે ઝુંબેશ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારા પર વટવૃક્ષ બનીને ઊભી છે.આ વિરાટ કાય દરિયાઈ જીવ છેક ઓસ્ટ્રેલિયાનાં મડાગાસ્કર નાં સમુદ્ર માંથી સૌરાષ્ટ્રનાં સાગરમાં 2 થી 3 મહિના ગાળવા આવે છે.વ્હેલ શાર્કને છંછેડવામાં ન આવે તો તે સામેથી હુમલો કરતી નથી.