ચીનમાં પ્રવેશનારા યાત્રીઓને હવેથી નહીં રહેવું પડે ક્વૉરન્ટાઈન, પ્રતિબંધો હટાવી લેવાયા
Live TV
-
ચીનમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યાં છે. પ્રતિબંધોમાં છુટછાટ બાદ ચીનમાં પ્રવેશ કરનાર પ્રવાસીઓને હવે ક્વોરોનટાઇન રહેવું પડશે નહિ. અગાઉ ત્રણ વર્ષ સુધી ચીન આવનારા પ્રવાસીઓને બે સપ્તાહ સુધી ક્વોરોનટાઇન થવું પડતું હતું. ચીનમાં હાલમાં કોરોનાના નવા વોરિયન્ટનો કહેર ઝડપથી વધી રહ્યો છે. કોરોનાના વધતા પેશન્ટોના પગલે હોસ્પિટલોની વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે.
