ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટ ચર્ચની મસ્જિદમાં ગોળીબારમાં 49 ના મોત
Live TV
-
ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટ ચર્ચની બે મસ્જિદમાં અજ્ઞાત વ્યક્તિએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 49 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. આ બનાવમાં અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. બનાવ અંગે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગોળીબાર થયો ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ હાજર હતા. જોકે સદનસીબે તેઓનો બચાવ થયો છે. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા એર્ડને જણાવ્યું છે કે ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં આ કાળો દિવસ સમાન છે. અલનુર મસ્જિદ શહેરની વચ્ચે આવેલી છે. હુમલાખોર કાળા કપડામાં હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘુસ્યા હતા. જે લોકો નમાજ પઢતા હતા તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. પોલીસે અસરગ્રસ્ત વિસ્તારને ઘેરી લીધો છે. શાળા-કોલેજ બંધ કરાવી છે. અને લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. આ બનાવના પગલે આવતીકાલથી શરૂ થનાર ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ રદ્દ કરવામાં આવી છે.