પાકિસ્તાન વિદેશમંત્રીના વિવાદિત નિવેદન પર ભારતની કડક પ્રતિક્રિયા
Live TV
-
યુદ્ધનો માહોલ ઉભો કરવા પાકિસ્તાન દ્રારા કરાયુ નિવેદન
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કરેલા ,વિવાદિત નિવેદનની ,ભારતે સખત શબ્દોમાં ટીકા કરી છે. યુદ્ધનો માહોલ ઉભો કરવા માટે, પાકિસ્તાન દ્વારા ,બેજવાબદાર નિવેદનો કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી ,ભારત વિદેશ મંત્રાલયે આપી હતી.પાકિસ્તાનના મુલતાનમાં ,એક પત્રકાર પરિષદે સંબોધી ,શાહ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું હતું, કે, ભારત પાકિસ્તાન પર ફરીથી એર સ્ટ્રાઈક કરવાની યોજના ,ઘડી રહ્યું છે. એજન્સીઓ દ્વારા મળેલી માહિતી મુજબ ,આગામી 16મી એપ્રિલથી 20મી એપ્રિલ દરમિયાન ,આ એરસ્ટ્રાઈક થશે.
ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યુ હતું ,કે, યુદ્ધનો માહોલ ઉભો કરવા માટેનું ,પાકિસ્તાનનું આ નિવેદન તદ્દન વાહિયાત તથા બેજવાબદાર છે. ભારતનો પ્રયત્ન હંમેશા શાંતિ પ્રત્યે રહ્યો છે