શ્રીલંકામાં સંવેદનશીલ વિસ્તારમાં ફર્ફર્યુ, ઇન્ટરનેટ સેવા બંધ
Live TV
-
સરકારે લોકોને શાંતિ કાયમ રાખવા કરી અપીલ
શ્રીલંકામાં બોમ્બ બ્લાસ્ટ પછી મુસ્લીમ સમુદાયના ધાર્મિક અને વ્યવસાયીક સ્થળો પર હુમલા પછી શ્રીલંકામાં તણાવનું વાતવરણ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં તોફોનો થયા હતા તે વિસ્તારોમાં કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે શ્રી લંકાની સરકારે સોશિયલ મીડિયા પર પણ પાબંધી લાદી છે. જેથી પરિસ્થિતિ વધુ ન વકરે. ઉલ્લેખનીય છે કે ફેસબુક પર મુકેલી એક પોસ્ટ વાઈરલ થઈ હતી. તે બાદ પશ્ચિમ શ્રીલંકાના ચીલામાં પરિસ્થિતિ વણસી હતી. જે બાદ ટોળાએ મુસ્લીમ ધર્મ સ્થાન અને વેપારી સ્થળો પર હુમલા કર્યા હતા. જો કે શ્રીલંકન પોલીસ દ્વારા જે વ્યકિતએ ભડકાઉ પોસ્ટ કરી હતી તેની અટકાયત કરી હતી. જો કે આ મામલે શ્રીલંકા સરકારે જાહેર કર્યુ છે કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી લોકોને દેશમાં શાંતિ જાળવવા અપિલ કરવામાં આવી છે.