UAEનું ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીને ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઓફ ઝાયદ ટૂ સન્માન
Live TV
-
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહ્યાને યુએઈમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીને સન્માનીત કરાયા
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહ્યાને યુએઈમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીને તેના કાર્યકાળ દરમિયાન, બન્ને દેશો વચ્ચે સંબંધોના વિકાસ અને મજબૂતી આપવા માટે ફર્સ્ટ ક્લાસ ઓર્ડર ઓફ ઝાયેદ ટૂ સન્માન આપવામાં આવ્યું છે. કોઈપણ રાજદૂતને મળેલું આ સન્માન પ્રતિષ્ઠિત છે.
વિદેશ મંત્રી અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાને કાલે અબૂ ધાબીમાં એક બેઠક દરમિયાન ભારતીય રાજદૂતને આ સન્માન આપ્યું હતું. શેખ અબ્દુલ્લાએ સંયુક્ત આરબ અમીરાત અને ભારતના સંબંધોને મજબૂત બનાવવામાં રાજદૂતની ભૂમિકાને વખાણી અને ભવિષ્ય માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી. રાજદૂપ નવદીપ સૂરી આ મહિનાના અંતમાં સેવાનિવૃત થઈ રહ્યાં છે.