અનલોક-3 : આજથી જીમ અને યોગ સેન્ટરો કાર્યરત થશે
Live TV
-
કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે અને સુરક્ષાના ભાગરૂપે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી
કેન્દ્ર સરકારે અનલોક-3માં જીમ અને યોગ સેન્ટરને ખોલાવની મંજુરી આપતા આજથી જીમ અને યોગ સેન્ટરો કાર્યરત થશે...જેને લઈને અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સ્થળો પર કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે અને સુરક્ષાના ભાગરૂપે એક માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.. જે અનુસાર જીમ અને યોગ સેન્ટરમાં લોકો વચ્ચે 6 ફુટનું અંતર જળવાઈ રહે , યોગ અને વ્યાયામ દરમિયાન ફરજીયાત માસ્ક અને ફેસ કવર પહેરવું ફરજીયાત કરાયું.. આ ઉપરાંત આલ્કોહલયુક્ત સાબુથી વારંવાર હાથ ધોવા અને છીંકવા સમયે ખાસ મોઢું અને નાક ઢાંકવાની કડક સૂચના આપી છે.. તેમજ થુંકવા પર પણ સખત પ્રતિબંધ દર્શાવ્યો છે અને તમામને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મુક્યો છે.
