અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિરના ભૂમિપૂજનને લઈને તૈયારીઓ પુરજોશમાં
Live TV
-
રામજન્મ ભૂમિ અયોધ્યા ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે
રામજન્મ ભૂમિ અયોધ્યા ફરી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આવતીકાલે પાંચ ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામમંદિરના ભૂમિપૂજનને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.. સમગ્ર અયોધ્યાનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યા પહોંચશે અને રામલલા સાથે સંબંધીત કાર્યક્રમોનો શુભારંભ કરાવશે.. જો કે, આ પહેલાં અયોધ્યામાં પૂજા-પાઠ અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયાં છે.. આજે હનુમાનગઢીમાં વિશેષ-પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.. જ્યાં મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ રહ્યું છે તે સ્થાન પર પણ પૂજા કરવામાં આવશે અને એક શિલા પાટનું પણ અનાવરણ કરવામાં આવશે,, અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજનની તૈયારીઓને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે અયોધ્યાની મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓની સાથે ભૂમિ પૂજન સ્થળનું નિરીક્ષણ કર્યું હતું..
