અમરનાથ ધામમાં ભગવાન અમરનાથની દિવ્ય આરતીનો આજથી પ્રારંભ
Live TV
-
અમરનાથ ધામમાં ભગવાન અમરનાથની દિવ્ય આરતીનો આજથી પ્રારંભ થયો છે. હર હર મહાદેવના જયઘોષ સાથે આજે મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતાં.
આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુએ પોતાના પરિવાર સાથે બાબા બર્ફાનીના દર્શન કરી પૂજા આરતી કરી હતી. આ પ્રસંગે અન્ય કેટલાંક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોના મહામારીના કારણે પૂજા અને દર્શન માટે અન્ય શ્રદ્ધાળુઓ માટે મનાઈ ફરમાવવામા આવી છે.
જો કે, સારી વાત એ રહી કે આ પૂજાનું જીવંત પ્રસારણ ઓનલાઈન માધ્યમ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. જેથી શ્રદ્ધાળુઓએ ઘર બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કર્યાં હતાં.
