Skip to main content
Settings Settings for Dark

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં 25મી જુલાઇએ સુનાવણી

Live TV

X
  • સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે સુનાવણી કરતા મધ્યસ્થી સમિતિને પોતાનો રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો

    સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે મધ્યસ્થતાની પ્રક્રિયાને ખતમ કરવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે મધ્યસ્થતા કમિટી પાસે આ મામલે રિપોર્ટ રજુ કરવા કહ્યું છે.  પેનલને આ રિપોર્ટ આગામી ગુરુવાર સુધી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવો પડશે. હવે આ મામલે આગામી સુનવણી 25 જુલાઈએ થશે. કોર્ટે કહ્યું હતું કે ,જો પેનલ કહે છે  કે મધ્યસ્થતા સફળ સાબિત થતી નથી  તો 25 મી જુલાઈના રોજ સુનાવણીમાં એવું નક્કી કરવામા આવશે  કે કોર્ટમાં આ મામલે આગળ શું કાર્યવાહ કરવી ? ઉલ્લેખનીય છે કે ,ગત માર્ચ મહિને સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ મધ્યસ્થોની નિમણુક કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ- જજ  F.M.I. કલી-ફલ્લા, આધ્યાત્મિક ગુરુ ,અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ અધિ-વક્તા શ્રી રામ  પાંચૂ નો સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply