આગામી વિધાનસભાની ચૂંટણી માટે રોડ શો, પદયાત્રા, સાયકલ અને વાહન રેલીઓ પર પ્રતિબંધ રહેશે યથાવત
Live TV
-
ચૂંટણી પંચે રોડ શો, પદયાત્રા અને સાયકલ અને વાહન રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો છે, પરંતુ ચૂંટણી માટે પરિસરની અંદર અને બહાર રાજકીય મેળાવડા માટેના નિયમોમાં છૂટછાટ આપી છે. સભાઓ અને રેલીઓ માટેના નિયંત્રણો અમુક શરતો પર હળવા કરવામાં આવ્યા છે. આ અંતર્ગત હોલની અંદર યોજાનારી ઈવેન્ટ્સમાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા હોલની ક્ષમતાના મહત્તમ 50 ટકા અને ખુલ્લા મેદાનના 30 ટકા સુધી મર્યાદિત રહેશે. ચૂંટણી પ્રચારનો સમય પણ સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે.
