આજથી દેશના તમામ ઐતિહાસિક સ્થળ અને સ્મારક ખોલી દેવામાં આવ્યા
Live TV
-
તાજમહેલ અને લાલકિલ્લાને કોરોનાના કારણે હમણા નહીં ખોલવાનો નિર્ણય
આજથી દેશના તમામ ઐતિહાસિક સ્થળ અને સ્મારક ખોલી દેવામાં આવ્યા છે. પરંતુ તાજમહેલ અને લાલકિલ્લાને કોરોનાના કારણે હમણા નહીં ખોલવાનો નિર્ણય કરાયો છે. તાજમહેલ 17 માર્ચથી બંધ છે. આગ્રાના જિલ્લા અધિકારીએ પુરાતત્વ વિભાગ સાથે બેઠક કરી આગ્રા અને તેની આસપાસના અનેક પુરાતત્વ સ્મારકોવાળા વિસ્તાર બફર ઝોનમાં આવતા હોવાથી હમણાં નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે અનલોક-2 અંતર્ગત દેશમાં ઐતિહાસિક સ્મારક ખોલવાનો નિર્ણય કર્યો તો છે પણ તેનો અંતિમ નિર્ણય જે તે રાજ્યની સરકાર પર છોડ્યો છે. આગ્રામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ સતત વધારો થતાં આ નિર્ણય લેવાયો છે.
