આજે ઉજવવામાં આવી રહ્યો છે 12મો રાષ્ટ્રીય મતદાતા દિવસ
Live TV
-
આજે 12મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુના અતિથિ વિશેષ પદે યોજાનાર કાર્યક્રમમાં વર્ષ 2021-22 માટે શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી અંગેના રાષ્ટ્રીય પુરસ્કારો રાજ્ય અને જિલ્લા સ્તરના અધિકારીઓને એનાયત કરવામાં આવશે. આ દરમિયાન, નવા નોંધાયેલા મતદારોને પણ સન્માનિત કરવામાં આવશે અને તેમના મતદાર ફોટો ઓળખ કાર્ડ આપવામાં આવશે. પંચે તાજેતરમાં નવા નોંધાયેલા મતદારોને વ્યક્તિગત પત્ર અને મતદાર માર્ગદર્શિકા સાથે મતદાર ફોટો ઓળખ કાર્ડ પહોંચાડવા માટે એક નવીપહેલ શરૂ કરી છે.
આ પ્રસંગે ચૂંટણી પંચનું પ્રકાશનનું વિમોચન કરવામાં આવશે. વિડિયો મેકિંગ અને પોસ્ટર ડિઝાઇન, હરીફાઈના વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામો એનાયત કરશે. દેશમાં 2011 થી દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે.
