આજે રાષ્ટ્રીય આંકડા દિવસ છે આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસને સમર્પિત
Live TV
-
પીસી મહાલનોબિસનો જન્મ 29 જૂન, 1893માં કલકત્તામાં થયો હતો. તેમણે કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી અને ઉચ્ચ અભ્યાસ માટે તેઓ લંડન ગયા હતા.
29 જૂનને ભારત દેશમાં રાષ્ટ્રીય આંકડા દિવસ એટલે કે national statistics day તરીકે મનાવવામાં આવે છે. સામાજિક આર્થિક નિયોજન અને નીતિ નિર્માણમાં આંકડાઓનું મહત્વ ઘણું હોય છે. આંકડાઓ વગર કોઈપણ સર્વે, રિસર્ચ અને મૂલ્યાંકન અધુરું છે. આંકડાઓના મહત્વને ધ્યાનમાં રાખી અને લોકોમાં તેના વિશે જાગૃતિ લાવવાના ઈરાદાથી આ દિવસ મનાવવામાં આવે છે.
પ્રખ્યાત આંકડાશાસ્ત્રી પ્રશાંત ચંદ્ર મહાલનોબિસનો 29 જૂને જન્મદિવસ છે, જેમણે આંકડાશાસ્ત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. જેને ધ્યાનમાં રાખી 2007માં તેમના જન્મદિવસના રોજ 29 જૂનને રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
