આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ટેકનોસેવી યુવાનોને એપ બનાવવા PM મોદીએ કર્યું આહ્વાન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લિંકડીન ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ટેકનોસેવી યુવાનોને એપ બનાવવા માટે આહ્વાન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એવી એપ બનાવો જે દુનિયાને પણ કામ લાગે.
આજે યુવાનો ટેકનોલોજીનો વધુને વધુને ઉપયોગ કરે છે તેને પીએમે સમયની માંગ ગણાવી હતી. તેમણે કહ્યું હતું , કે કોવિડ-19ના કપરાં સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કારગત સાબિત થઇ રહ્યો છે.
