આયુષ મંત્રાલય દ્વારા આયુષ ભવનની કેન્ટીનમાં શરૂ કરાયો 'આયુષ - આહાર'
Live TV
-
આયુષ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં આયુષ ભવનમાં તેની કેન્ટીનમાં 'આયુષ - આહાર' શરૂ કરવામાં આવ્યો છે. પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલ આયુષ આહારમાં વેજીટેબલ, પોહા, ભાજીનાં વડા, ગાજરનો હલવો અને કોકમ ડ્રિંકનો સમાવેશ થાય છે. મંત્રાલય અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ તમામ વાનગીઓ ખૂબ જ લોકપ્રિય છે અને ઉચ્ચ પોષક મૂલ્ય ધરાવે છે. આયુષ આહારનો આરંભ કરાવતા આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું કે, કેન્ટીનમાં ઉપલબ્ધ આયુષ આહાર આરોગ્ય માટે લાભપ્રદ છે અને તે પચવામાં પણ સરળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 2021માં આયુષ મંત્રાલયે વિવિધ રાજ્યો સાથે સહયોગ કરીને રાષ્ટ્રીય આયુષ મિશન હેઠળ કેટલીક પ્રશંસનીય કામગીરી કરી હતી. આ વર્ષે શિક્ષણ, સંશોધન, ઉત્પાદન, જાહેર આરોગ્ય અને સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
