આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
Live TV
-
આસામમાં પુરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે...જો કે, હજુ પણ રાજ્યના 12 જિલ્લાઓ બ્રહ્મપુત્ર અને અન્ય નદીઓના પુરના પાણીથી અસરગ્રસ્ત થયાં છે.. આ પુરપ્રકોપના કારણે 1 લાખ 82 હજારથી વધુ લોકો હજી પણ અસરગ્રસ્ત છે.. અહીં લગભગ 400 ગામ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. પુરથી અસરગ્રસ્ત 1000 થી વધુ લોકો 16 જેટલાં રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યાં છે.. જો કે, સારી વાત એ છે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાંથી કોઈના મૃત્યુ નોંધાયા નથી,.પરંતુ અત્યાર સુધીમાં પુર પ્રકોપના કારણે રાજ્યમાં 40 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, હજી પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે..
