ઈદ-ઉલ-ફિત્ર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા PM મોદી સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છા
Live TV
-
દેશભરમાં આજે ઇદની ઉજવણી થઇ રહી છે ત્યારે આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, ઇદ -ઉલ - ફીત્રની શુભેચ્છા આપતાં કહ્યું કે સામાજિક અંતર જાળવવાના નિયમનું પાલન કરવાનો સંકલ્પ લેવામાં આવે. તેમણે કહ્યું , કે આ તહેવાર પ્રેમ, શાંતિ ભાઇચારા અને સદભાવની અભિવ્યક્તિનો તહેવાર છે.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ ઇદ પર્વે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ઇદની ઉજવણી વખતે કોવિડ-19ના સુરક્ષા નિયમોનું પાલન કરવા અને સામાજિક અંતર જાળવવા પણ તેમણે અપીલ કરી હતી.
દેશભરમાં ગાઇડલાઇનનું પાલન કરીને ઇદની ઉજવણી થઇ રહી છે. મસ્જિદમાં માત્ર 5 લોકો દ્વારા નમાજ અદા કરાઈને ઇદની ઉજવણી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું, કે ઇદ તે ભાઇચારાને વધારનારો તહેવાર છે. તેમણે દેશવાસીઓના આરોગ્ય સુખાકારીની કામના કરી હતી.
