શ્રમિકોને વતન પહોંચાડવા માટે 1 જૂનથી વધુ 200 ટ્રેનની વ્યવસ્થા કરશે ભારતીય રેલવે
Live TV
-
વતન પહોંચવા માંગતા લાખો પ્રવાસી શ્રમિકોને હજારો ટ્રેનની મદદથી તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. રેલવે પહેલી જૂનથી 200 નવી ટ્રેન દોડાવવા જઇ રહી છે. પહેલી જૂનથી દોડનારી 200 એક્સપ્રેસ ટ્રેન માટે 1000 જેટલા ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
આસામ અને નાગાલેન્ડમાં ફસાયેલા શ્રમિકો પણ, ઉત્તર પ્રદેશ પહોંચી રહ્યા છે. તેમના આરોગ્યની પણ રેલવે સ્ટેશને તપાસ થાય છે , અને પછી ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવે છે. શ્રમિકોને ભોજન પાણીની અસુવિધા ના ભોગવવી પડે તેની પણ, રેલવે તકેદારી રાખી રહી છે.
રેલવેએ વીતેલા 23 દિવસમાં 2600 સ્પેશ્યલ ટ્રેન દોડાવીને, 46 લાખ શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા છે. આગામી 10 દિવસમાં વધુ 2600 ટ્રેન દોડાવીને , 36 લાખ શ્રમિકોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું લક્ષ્ય છે.
