ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ આજે ગૃહ મંત્રી, સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર
Live TV
-
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં થઇ રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ જનસભા અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી પ્રચારમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે અનુપશહેર અને લોનીમાં જનસભા સંબોધશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ નૌગવા, કાંઠ અને કુંદરકી વિધાનસભા ક્ષેત્રોમા ચૂંટણી રેલી કરશે.
ઉત્તરપ્રદેશમાં ચોથા ચરણની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. આજે તમામ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવશે.
