ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવત બનશે, આજે સાંજે 4 વાગ્યે શપથ લેશે
Live TV
-
તીરથસિંહ રાવત ગઢવાલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ છે. આજે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે
તીરથસિંહ રાવત ગઢવાલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ છે. આજે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે. તીરથસિંહ રાવત મુખ્યમંત્રી પદે સાંજે 4 વાગ્યે શપથ લેશે.
ગઈકાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ. દિલ્હી ખાતે થયેલી મીટિંગ બાદ ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મોર્યને રાજીનામું સોંપ્યુ હતું.
ત્રિવેન્દ્રસિંહ રાવતે જણાવ્યુ હતું કે, પક્ષે જે જવાબદારી આપી તે તેમણે સારી રીતે નિભાવી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જ એક એવી પાર્ટી છે જે કાર્યકર્તાઓને સન્માન આપે છે.