હરિયાણાઃ ભાજપ-જેજેપીની ગઠબંધન સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ, આજે પ્રસ્તાવ પર ચર્ચાની સંભાવના
Live TV
-
હરિયાણામાં કોંગ્રેસ દ્વારા ભાજપ અને સહયોગી પક્ષ જેજેપી ગઠિત મુખ્યમંત્રી મનોહરલાલ સરકારની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જે અંગે આજે વિધાનસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.
અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર ચર્ચાને અનુલક્ષીને મતદાનને ધ્યાનમાં રાખીને સત્તા પક્ષ અને વિપક્ષ સહિત તમામ પક્ષોએ પોતાના સભ્યોને સદનમાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જાહેર કરાયો છે. ભાજપના સહયોગી પક્ષ જેજેપીએ પણ પોતાના સભ્યોને વ્હિપ પ્રસિદ્ધ કર્યો છે.
હરિયાણા સરકારના મંત્રી અને ભાજપના મુખ્ય દંડક કમર પાલે કહ્યું હતું કે, હરિયાણા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભારતીય જનતા પક્ષના તમામ સભ્યોને આજે વિધાનસભામાં ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરાયો છે. તેમણે વ્હિપ જારી કરતાં કહ્યું હતું કે, સભ્યો નેતાગીરીની અનુમતિ વિના ગૃહની બહાર ન જાય. તેમજ ચર્ચા દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. સભ્યોને અનુરોધ કરાયો છે કે, મત વિભાજન અને મતદાન સમયે તેઓ ગૃહમાં હાજર રહે.