ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નવી દિલ્હીથી જોશીમઠ આપત્તિ અસરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી વહન કરતા વાહનોને આપી લીલી ઝંડી
Live TV
-
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ નવી દિલ્હીથી જોશીમઠ આપત્તિ અસરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી વહન કરતા વાહનોને લીલી ઝંડી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે આ રાહત સામગ્રી વિવિધ સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જોષીમઠ હોનારતની અસર પામેલ લોકોને માટે રાહત સામગ્રી લઇ જતાં વાહનોને નવી દિલ્હીથી લીલી ઝંડી બતાવી રવાના કર્યા હતા. આ રાહત સામગ્રી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પુરી પાડવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ નિવેદન આપતા કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારના સહકારથી જોષીમઠમાં પુનર્વાસ અને રાહત કાર્યવાહી ચાલુ છે. તેની સાથે સાથે તેમણે રાહત પુરી પાડવા બદલ સેવાભાવી સંસ્થાઓનો પણ આભાર માન્યો હતો.
