કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ
Live TV
-
ગઈકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સૌપ્રથમ અમિત શાહએ રજૌરીના આતંકવાદી હુમલામાં પીડિતોના પરિવારો માટે દુઃખ વ્યક્ત કર્યું તેમજ મોદી સરકાર પીડિતોના પરિવારની મદદમાં કટિબદ્ધ છે તેવું જણાવ્યું. બેઠકમાં અમિત શાહ એ જણાવ્યું કે 3 મહિનામાં જમ્મુના દરેક વિસ્તારમાં સુરક્ષા ગ્રીડને મજબૂત કરીને તેને અભેદ્ય બનાવવામાં આવશે તેમજ આતંકવાદીઓની સપોર્ટ સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે 360-ડિગ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ ઉપરાંત બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સાથેના તમામ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
