કેન્દ્રીય કેબિનેટઃ PM ગરીબ કલ્યાણ યોજનાના નવેમ્બર સુધીના વિસ્તારને કેબિનેટની મંજૂરી
Live TV
-
સપ્ટેમ્બરના અંત સુધી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલેન્ડર મેળવી શકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધીના વિસ્તારને કેબિનેટે મંજૂરી આપી છે. જેનો લાભ અન્ય રાજ્યના પ્રવાસી શ્રમિકો પણ ઉઠાવી શકશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ છેલ્લા 3 મહિનામાં 81 કરોડ લોકોને મફત અનાજ વિતરણ હેઠળ 5 કિલો ઘઉં અને 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને મીઠું મફત આપવામાં આવી છે. હવે આ અનાજનું વિતરણ સપ્ટેમ્બર મહિના સુધી કરવામાં આવશે.
