કેન્દ્રીય મંત્રી માંડવિયાએ લાઇટ હાઉસને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા કરી બેઠક
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દેશભરના 194 લાઇટ હાઉસને પર્યટન કેન્દ્રના રૂપમાં વિકસિત કરવા માટે એક બેઠક યોજી હતી.
બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે લાઇટ હાઉસના આસપાસના વિસ્તારોમાં પર્યટન પ્રવૃતિઓમાં વધારો કરવામાં આવશે. જેથી લોકોને લાઇટ હાઉસના સમૃદ્ધ ઈતિહાસને જાણવાનો પણ અવસર મળશે.
અધિકારીઓએ આ અંગે વિસ્તૃત કાર્ય યોજના પણ રજૂ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ અધિકારીઓને એવા લાઇટ હાઉસની ઓળખ કરવાની સલાહ આપી હતી કે જે 100 વર્ષથી વધારે જૂના હોય. લાઇટ હાઉસની માસ્ટર વિકાસ યોજનાને અનુસાર પ્રમુખ આકર્ષણોમાં સંગ્રહાલય, મસ્ત્ય સંગ્રહાલય, જલ ક્ષેત્રની આસપાસ બાલક્રિડા સ્થળ અને બગીચા પણ સામેલ છે.
