CBSEએ ધો. 9 થી 12નો અભ્યાસક્રમ ઘટાડયો, વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર
Live TV
-
આગામી વર્ષે ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો કરાશે ઘટાડો-આ અંગે એક મુસદ્દો કરાશે તૈયાર-ધોરણ-1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા જાતે લેશે નિર્ણય
સીબીએસઈ ધોરણ 9 થી 12 નો 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરશે - માનવ સંસાધન વિકાસ મંત્રી
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે ટ્વીટ કરી માહિતી આપી હતી કે કોરોના વાયરસ મહામારીની વચ્ચે ધોરણ 9-12 સુધીના અભ્યાસક્રમને સીબીએસઈ 30 ટકા સુધી ઓછો કરશે. એમણે કહ્યું હતું કે અભ્યાસક્રમના કોર કન્સેપ્ટને જાળવી રાખવામાં આવશે, મંત્રાલય પાસે શિક્ષણવિદોના 1500 વધુ સૂચનો આવ્યા છે.
