કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને નીતિન ગડકરી આજે હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સંબોધશે જનસંવાદ રેલી
Live TV
-
આ પહેલા મંગળવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિંમ બંગાળના લોકો સાથે ,જનસંવાદ રેલી દ્વારા કર્યો સંવાદ
ભાજપના નેતા રવિશંકર પ્રસાદ અને નીતીન ગડકરી હિમાચલ અને મધ્યપ્રદેશમાં જનસંવાદ રેલીને સંબોધન કરશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે વર્ચ્યુઅલ રેલી દ્વારા પશ્ચિમ બંગાળના લોકોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકાર પર ,તેમણે પ્રહાર કર્યા હતા. નવી દિલ્હીથી ભાજપની વરચ્યુઅલ જન સંવાદ રેલીને સંબોધન કરતાં ,ગરીબોના કલ્યાણ માટે ,કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય યોજનામાં સામેલ ના થવા બદલ પણ ,પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરી હતી.
