કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, દેશની અંતરિક્ષ સંપત્તિઓ તમામ માટે ખુલ્લી મુકાશે
Live TV
-
કેન્દ્ર સરકારે દેશની અંતરિક્ષ સંપત્તિઓ તમામ માટે ખુલ્લી મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે ખાનગી કંપનીઓ પણ અંતરિક્ષ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. આ માટે ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન નામના નવા સ્પેસ બોર્ડની રચના કરવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી આપી દેવાઈ છે.
અંતરીક્ષ ક્ષેત્રમાં સુધારા માટે લેવાયેલા નિર્ણયો વિશે ઈસરોએ જણાવ્યું હતું કે, ભારત ઉન્નત અંતરિક્ષ પ્રાદ્યોગિકી વાળા દેશોમાંથી એક છે. ઈસરોના પ્રમુખ કે. સિવને ઉમેર્યુ હતું કે, અંતરિક્ષ વિભાગ અંતર્ગત એક સ્વતંત્ર નોડેલ એજન્સીનું નિર્માણ કરવામાં આવશે, જે ખાનગી કંપનીઓને લઈને મુક્ત નિર્ણયો લેશે.
