કેરળમાં કોરોના વાયરસના નિર્દેશ પાલનના નિયમો જુલાઈ 2021 સુધી લાગુ
Live TV
-
કેરળમાં કોરોના વાયરસના નિયંત્રણના દિશા નિર્દેશોને આગામી વર્ષના જુલાઈ સુધી વધારવામાં આવ્યા છે. તિરુવનંતપુરમમાં એક અઠવાડિયા સુધી સંપૂર્ણ બંધનું કડક રીતે પાલન કરવામાં આવશે.
કેરળ સરકારે રાજ્ય મહામારી રોગ અધ્યાદેશમાં સંશોધન કરતા કોવિડ નિયંત્રણના નિયમોને આગામી વર્ષના જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. જેના પગલે લોકોએ જુલાઈ 2021 સુધી માસ્ક પહેરવું પડશે, સામાજિક અંતર રાખવું પડશે અને ભીડ એકત્રિત કરવાથી બચવું પડશે.
તિરુવનંતપુરમમાં મુખ્ય હાઈવે સિવાયના માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને કરિયાણાની દુકાન, દવાની દુકાન, હોસ્પિટલ અને જરૂરી સેવાઓને છોડી તમામ દુકાનો આજથી એક અઠવાડિયા સુધી બંધ રહેશે.
