કોલકાતા સ્થિત સ્ટ્રેન્ડ રોડ પર બહુમાળી ઈમારતમાં આગને લાગતા 7 લોકોએ જીવ ગુમાવ્યા
Live TV
-
કોલકાતા સ્થિત સ્ટ્રેન્ડ રોડ પર એક બહુમાળી ઈમારતમાં 17મા માળે લાગેલી આગને લીધે ભારે હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સાંકડી અને ઓછી જગ્યા હોવાથી આગ પર અંકુશ મેળવવામાં મુશ્કેલી પડી હતી.આ ઈમારતમાં ઈસ્ટર્ન અને સાઉથ ઈસ્ટર્ન રેલવેની ઓફિસ છે. મૃતકોમાં 4 ફાયર ફાઈટર, એક ASI અને એક RPFના જવાનનો સમાવેશ થાય છે. સાતમી વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગ પર અંકુશ મેળવી લીધો છે. જોકે કૂલિંગ પ્રોસેસ કરવામાં આવી રહી છે. આ ઈમારતમાં આગ કેવી રીતે લાગી એ અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું