કોવિડ રોગચાળાને નિયંત્રિત કરવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ
Live TV
-
સરકારે જણાવ્યું છે કે વૈશ્વિક પરિસ્થિતિ અને કોવિડ વાયરસના પ્રકારો દ્વારા ઊભા થયેલા પડકારો પર નજર રાખી રહી છે અને જાહેર આરોગ્ય માટે જરૂરી પગલાં લઈ રહી છે. દેશમાં કોરોનાના ફરીથી ઉદભવના જોખમને ઘટાડવા માટે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું RTPCR પરીક્ષણ કરવાનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ગઈકાલે સંસદના બંને ગૃહોમાં નિવેદન આપ્યું કે સરકાર આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા પ્રતિબદ્ધ છે અને તેની સામે દ્રઢતા અને નિશ્ચય સાથે સામૂહિક લડત ચાલુ રાખવાની જરૂર છે.
તેમણે સંસદને માહિતી આપી કે આગામી તહેવારો અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને, રાજ્યોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ કોવિડ યોગ્ય વર્તન માટે સમુદાય અને અન્ય લોકોમાં અસરકારક જાગૃતિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે કહ્યું કે વિશ્વમાં કોવિડના કેસ વધી રહ્યા છે, પરંતુ ભારતમાં છેલ્લા એક વર્ષથી કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશભરમાં દરરોજ સરેરાશ 153 નવા કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યોમાં સામૂહિક મિલન દરમિયાન દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જરૂરી નિયંત્રણનાં પગલાં હાથ ધરવા સલાહ આપવામાં આવી છે. સમયસર તપાસ માટે તમામ પોઝિટિવ કેસની તપાસ વધારવા જણાવવામાં આવ્યું છે.
