ગત 24 કલાકમાં દેશમાં નોંધાયા 49 હજારથી વધુ કોરોનાના કેસ, રિકવરી રેટ વધીને 63.92% થયો
Live TV
-
સમગ્ર દેશમાં દિવસેને દિવસે કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 તપાસ સુવિધાનો શુભારંભ કરશે. જેમાં એક દિવસમાં દસ હજાર સેમ્પલના પરિક્ષણ કરવાની સુવિધા હશે. દેશમાં કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે જોકે સંક્રમણ કરતાં, સ્વસ્થ થતાં દર્દીઓની સંખ્યા પણ ,બમણી થઈ રહી છે.
છેલ્લાં 31,991 દર્દીઓએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સુચન કર્યું છે કે, વધુમાં વધુ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ અપનાવામાં આવે. આ દરમિયાન છેલ્લાં 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 49,931 કેસ નોંધાયા હતાં , તો 708 લોકોનાં મૃત્યું થયાં હતાં. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 9,431 કેસ નોંધાયા છે, જેમાં 267 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે તામિલનાડુમાં 6,986 કેસ નોંધાયા છે. આ સાથે જ સિક્કિમમાં કોરોનાનાના વધતા સંક્રમણને લઇને આગામી 1 ઓગસ્ટ સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે.
