ગૃહમંત્રી અમિત શાહે પૂર્વતર ભારતને પ્રાથમિકતા આપીને અત્યંત વિકસિત પ્રદેશ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહે પૂર્વતર ભારતને પ્રાથમિકતા આપીને અત્યંત વિકસિત પ્રદેશ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગૃહમંત્રી અમિત શાહે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યા બાદ ઇશાન ભારત વિકાસને માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇશાન રાજયોને ખૂબ જ મહત્વ આપ્યું છે વારંવાર કેન્દ્રીય મંત્રીઓ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇશાન ભારતની મુલાકાત લઇને તેના વિકાસ માટે અથાગ પ્રયાસો કરે છે. તેમ જ પ્રધાનમંત્રીના પ્રયાસોને પગલે ઇશાન ભારત સુખ-શાંતિ અને સમૃદ્ધિને માર્ગે આગળ વધી રહ્યું છે સલામતી દળો પર થતા હુમલામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નાગરિકોની સુરક્ષા પણ બહેતર બની છે. સરહદ વિવાદો પણ ઓછા થયા છે. અસંતુષ્ટ અને ઉગ્રવાદીઓને દેશના સામાન્ય પ્રવાહમાં સામેલ કરવાના પ્રયાસો ચાલુ છે.
