જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોને મળી વધુ એક મોટી સફળતા
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોને વધુ એક મોટી સફળતા મળી છે. બડગામમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકીઓને જવાનોએ ઠાર માર્યા હતા. આ ઠારમાં બડગામના જોલવા ક્રાલપુરા ચદૂરા વિસ્તારમાં થયું હતું. અત્યાર સુધી શ્રીનગર શહેરના માત્ર એક આતંકીની ઓળખ થઈ છે. તેની પાસેથી 3-1-56 રાઈફલ મળી આવી છે. બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં સવારે એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી પણ હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા.
