જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 12 કલાકમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ અથડામણમાં પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે.જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર બડગામના ચરારે શરીફ વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કરના એક આતંકીને ઠાર માર્યો છે.આતંકી પાસેથી એક એકે-56 રાયફલ અને સંદિગ્ધ સામાન મળ્યો છે. અન્ય ઘટનામાં પુલવામાના નાયરા વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈસે મોહમદના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે.જમ્મુ-કાશ્મીર પોલીસ અનુસાર હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અગાઉ શનિવારે આતંકીઓએ અનંતનાગમાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી હતી.
