જમ્મુ-કાશ્મીર પ્રશાસને પ્રવાસીઓના આગમન માટે માર્ગદર્શિકા જાહેર કરી
Live TV
-
જમ્મુ-કાશ્મીર પ્રશાસને પ્રવાસીઓના આગમન માટે માર્ગદર્શિકા જાહેર કરી. પર્યટન ક્ષેત્ર 14 જુલાઇથી તબક્કાવાર રીતે શરૂ થશે.
જમ્મુ-કાશ્મીર પ્રશાસને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રવાસીઓના આગમન માટે સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે. આવતીકાલથી તબક્કાવાર રીતે પર્યટન ક્ષેત્ર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં વિમાનો દ્વારા પ્રવાસીઓને આવવાની છૂટ આપવામાં આવશે. બધા મુસાફરો માટે કોરોના વાઇરસને લઇને તપાસ કરાવવી ફરજિયાત છે.
જમ્મુ કાશ્મીર આવતા પ્રવાસીઓએ અગાઉ હોટલમાં બુકિંગ કરાવવાનું રહેશે. અને આ માટે તેઓએ આગમન સમયે સાબિતી આપવી પડશે. આ સિવાય પર્યટકોએ રીટર્ન ટિકિટ લેવાની જરૂર રહેશે. તેઓએ હોટલ દ્વારા ટેક્સીઓ અને અન્ય પરિવહન સુવિધાઓ અગાઉથી બુક કરવાની રહેશે.
