જાણીતા ગણિત શાસ્ત્રી સી.એસ.સેશાદ્રીનું 88 વર્ષની વયે નિધન
Live TV
-
જાણીતા ગણિત શાસ્ત્રી અને પદ્મભૂષણ વિજેતા સી.એસ.સેશાદ્રીનું 88 વર્ષની વયે નિધન - પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યુ દુઃખ - અલજેબ્રીક જીયોમેટ્રીમાં યોગદાન માટે કરાય છે યાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગણિતજ્ઞ સી. એસ. શેષાદ્રિના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, બીજગણિત ભૂમિતિ માટે તેમણે જે વિશેષ કાર્ય કર્યું હતું તેના માટે આગામી પેઢીઓ તેમને યાદ રાખશે.
પ્રોફેસર સી. એસ. શેષાદ્રિનું 88 વર્ષની ઉંમરે ચેન્નઈમાં નિધન થયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પ્રોફેસર સી. એસ. શેષાદ્રિના નિધનથી આપણે એક મહાન બુદ્ધિજીવી ગુમાવી દીધો છે. તેમણે ગણિતમાં શાનદાર કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
