જાણીતા પર્યાવરણવિદ આર.કે.પચૌરીનું લાંબી બીમારી બાદ નિધન
Live TV
-
જળવાયુ પરિવર્તન મામલે મહત્વનું કામ કરનાર પચૌરીનું 79 વર્ષની ઉંમરે નિધન થયું હતું. ટેરીના મહાનિર્દેશક અજય માથુરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ડૉ. પચૌરીએ ટેરીને એક મહત્વની પ્રતિષ્ઠિત સંસ્થા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
જાણીતા પર્યાવરણવિદ તથા ઉર્જા અને સંસાધન સંસ્થાન (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટીટ્યૂટ) ના સ્થાપક અને પૂર્વ પ્રમુખ આર.કે.પચૌરીનું લાંબી બીમારી બાદ ગુરુવારે દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. ભારત સરકારે તેમણે 2001માં પદ્મ ભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.