ટીબી નાબૂદીમાં ગુજરાત પહેલા ક્રમે, સ્વાસ્થય મંત્રીએ ટીબી રિપોર્ટ કર્યો જારી
Live TV
-
તેમણે જણાવ્યું હતું કે, ટીબીના દર્દીઓનો ઑનલાઈન ડેટા બનાવવામાં આવી રહ્યો છે. દેશમાં 23.9 લાખ ટીબી દર્દીઓને નોટિફાઈડ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 2025 સુધી ટીબી નાબૂદીનો લક્ષ્યાંક રાખ્યો છે.
આજે સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટીબીનો રિપોર્ટ આજે જારી કર્યો હતો. 45 લાખથી વધુ દર્દીઓને 533 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા થયા છે. તેમણે જણાવ્યું હતું કે, ટીબી વિરુદ્ધની લડાઈને નવું રૂપ આપવામાં આવ્યું છે.
એક તરફ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર થઈ રહી છે, એવામાં પણ ટીબીના દર્દીઓની સારવારમાં કોઈ કમી રાખવામાં આવી નથી. ટીબી નાબૂદી અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યોમાં ગુજરાત, હિમાચલપ્રદેશ, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, દમણ, દીવ અને દાદરા નગર હવેલીને સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
