દિલ્હીમાં ત્રિ-દિવસીય વાયુસેના કમાન્ડરનું સંમેલન શરૂ
Live TV
-
દિલ્હીમાં આજથી 24 જુલાઇ સુધી ચાલનાર વાયુસેના કમાન્ડરનું સંમેલન શરૂ થયું છે...આ સંમેલનનો વિષય ‘આગામી દાયકામાં ભારતીય વાયુસેના' સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે આ સંમેલનનું ઉદધાટન કર્યું હતું. આ સંમેલનની અધ્યક્ષતા વાયુસેના એરચીફ માર્શલ આર.પી.એસ ભદોરીયા કરી રહયાં છે. ત્રણ દિવસના સંમેલનમાં વાયુસેનાના વર્તમાન પરિચાલનમાં ફરજ બજાવી રહેલા સાધનોની સમિક્ષા ઉપરાંત આગામી દાયકામાં વાયુસેનાની પરિચાલન ક્ષમતા વધારવાની કાર્યયોજના અંગે ચર્ચા કરવામાં આવશે.
