દિલ્હી: યમુનાનું જળસ્તર ઘટવાથી લોકોને રાહત, નદી હજુ પણ ખતરાના નિશાનથી ઉપર
Live TV
-
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ઘટવાથી લોકોને રાહત મળી છે. રેકોર્ડબ્રેક વધારા બાદ હવે પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ઘટવાથી લોકોને રાહત મળી છે. રેકોર્ડબ્રેક વધારા બાદ હવે પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે નદી હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. દિલ્હીમાં પૂર બચાવ કાર્ય માટે 17 ટીમો તૈનાત છે. અત્યાર સુધીમાં 1606 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય NDRFએ 7,241 લોકો અને 956 પ્રાણીઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
ઉપરાજ્યપાલ વિનીત કુમાર સક્સેનાએ પૂરથી પ્રભાવિત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પૂરગ્રસ્ત પરિવારોને 10,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
