રાજસ્થાન ચૂંટણી પ્રચારનો ભાજપે કર્યો શંખનાદ, જે.પી નડ્ડાએ "નહી સહેગા રાજસ્થાન" અભિયાન કર્યું લોંચ
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે જયપુરના ચંદનવનમાં ગહેલોત સરકાર સામે "નહી સહેગા રાજસ્થાન" અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમણે સભાને સંબોધન કરતા કહ્યુ કે, આ અભિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવશે. જે.પી.નડ્ડાએ કાર્યક્રમમાં ઝુંબેશની સાથે એક થીમ વિડિયો પણ લોન્ચ કર્યો હતો. તેમણે રાજ્ય સરકારનું ફેઈલ કાર્ડ પણ બહાર પાડ્યું હતુ. તેમજ કાર્યક્રમમાં યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા કહ્યુ હતુ કે, રાજસ્થાન સરકાર ગરીબોનો હક્ક મારે છે અને જેઓ નાણા દિલ્લી પહોંચાડે છે...તેમજ ભ્રષ્ટાચારમાં નવો રેકોર્ડ બનાવી રહી છે.વધુમાં તેમણે સંબોધનમાં કહ્યુ હતુ કે, આગામી નવેમ્બરમાં આ સરકારને તમે બહારનો રસ્તો બતાવશો તેવો મને વિશ્વાસ છે.
