દુશ્મનોની ઉંઘ ઉડાવશે ભારતમાં બનેલી સબમરિન 'INS વાગીર', 23 જાન્યુઆરીએ નૌસેનામાં થશે સામેલ
Live TV
-
ભારતીય નૈસેના 23 જાન્યુઆરીએ કલવરી શ્રેણીની પાંચમી સબમરિન વાગીર પોતાના બેડામાં શામેલ કરશે. ભારતમાં આ સબમરિનનો નિર્માણ મુંબઈના મઝગાંવ ડોગ શિવ બિલ્ડરે લીમીટેડે ફ્રાન્સની કંપની નેવલ ગ્રુપના સહયોગથી કર્યો છે. નૌ સેનાના અધ્યક્ષ એડમીરલ આર.હરિ કુમાર સબમરીનને કમીશન કરશે અધિકૃત પ્રેસ રીલીઝ મુજબ વાગીર સ્વદેશમાં અત્યાર સુધીમાં નિર્મિત સબમરીનમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થઈ છે. વાગીર ભારતીય નૌસેનામાં સામેલ થઈ ને ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો કરશે. વાગીર દુશ્મનોના જાહાઝ પર હુમલો કરવા અને તેમની પ્રભાવશીલતા સિમિત કરવા માટે સક્ષમ છે..સબમરીન વિરોધી યુધ્ધ ગુપ્ત માહિતી એકત્રીત કરવા માટે સમુદ્રમાં માઈન બીછાવવા માટે અને દેખરેખ રાખવા સહિત ઘણા કાર્યમાં વાગીર સક્ષમ છે. વાગીરનું નામ સેન્ડ શાર્ક પરથી રાખવામાં આવ્યું છે. વાગીર દુશ્મનની નજરથી બચીને કાર્ય કરવાની એક વિષેશ ક્ષમતા ધરાવે છે.
