દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 1 લાખ 94 હજાર 324 લોકો સંક્રમણથી મુક્ત થયા
Live TV
-
કોરોનાના સંક્રમિત દર્દીઓમાંથી 50 ટકાથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે.
દેશમાં અત્યાર સુધી, કુલ 1 લાખ 94 હજાર 324 લોકો ,સંક્રમણથી મુક્ત થયા છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું , કે, સ્વસ્થ થવાના વધતા દરથી સ્પષ્ટ છે , કે કુલ સંક્રમિત દર્દીઓમાંથી , 50 ટકાથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે. સંક્રમણની સમય પર જાણ , અને યોગ્ય ઉપચાર જ , સ્વસ્થ થવાનો એકમાત્ર ઉપાય છે. હાલમાં ,1 લાખ 60 હજાર 384 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓ, સારવાર હેઠળ છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પામેલ લોકોની સંખ્યા બાર હજાર, 237 થઈ છે. તો દેશમાં ,ટેસ્ટિંગની સંખ્યા પણ ,વધારી દેવામાં આવી છે.હાલ પ્રતિદિન ,3 લાખ નમૂનાઓનું પરિક્ષણ કરવાની ક્ષમતા છે.
