દેશમાં કોરોનાના સક્રિય કેસનો આંક 86110, મૃત્યુઆંક - 4531
Live TV
-
આરોગ્ય મંત્રાલય ના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસના કેસો પૈકી 67691 દર્દી સાજા થઇ ચુક્યા છે. રીકવરી રેટ સુધરીને 42.44 ટકા થયો છે. દેશમાં સક્રીય કેસની સંખ્યાં, 86110 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના મહામારીના કારણે , અત્યાર સુધીમાં 4531 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
